Skip to main content

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...

સુરતઃ સાર્વત્રિક મેઘમહેર બાદ સુરત જિલ્લામાં ૨૪,૪૬૯ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર

 સુરતઃ સાર્વત્રિક મેઘમહેર બાદ સુરત જિલ્લામાં ૨૪,૪૬૯ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર

સુરત જિલ્લામાં ૨૭૮૭ હેક્ટરમાં ડાંગર, ૭૫૫ હેક્ટરમાં કપાસ, ૬૫૩૭ હેક્ટરમાં મકાઈ, ૩૪૪૯ હેક્ટરમાં સોયાબિન તેમજ ૪૮૧૮ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર ડાંગર, સોયાબિન, મકાઈ, કપાસ, તુવેર, શાકભાજીની વાવણી-રોપણીનું કાર્ય પૂરજોશમાં: સારા વરસાદની શક્યતાને પગલે વાવેતર વધવાની શક્યતા છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં સરેરાશ ૧,૦૮,૯૬૭ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર નોંધાયું છે રાજ્યભરમાં જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા નોંધપાત્ર વરસાદને કારણે ખરીફ પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર શરૂ થઈ ચુક્યું છે. સારા વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને તાલુકાના જુદાં- જુદાં વિસ્તારના ખેડૂતો હજુ વધારે વાવેતરનું આયોજન કરી રહ્યા છે. આ ખરીફ સિઝનની શરૂઆતમાં સુરત જિલ્લામાં ૨૪,૪૬૯ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું છે. જેમાં ૨૭૮૭ હેક્ટરમાં ડાંગર ૭૫૫, હેક્ટરમાં કપાસ, ૬૫૩૭ હેક્ટરમાં મકાઈ, ૩૪૪૯ હેક્ટરમાં સોયાબિન તેમજ ૪૮૧૮ હેક્ટરમાં શાકભાજીના વાવેતરનો સમાવેશ થાય છે. જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સતીષ ગામીતે જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરીફ વાવેતરમાં સરકારની ટેકાના ભાવે ખરીદીની યોજનાને પરિણામે ખેડૂતો હોંશે-હોંશે વાવણીમાં વ્યસ્ત બન્યા છે. જુલાઈ માસની શરૂઆતમાં વાવેતરના પ્રાપ્ત આંકડાઓ જોઈએ તો જિલ્લાભરમાં પિયત અને બિનપિયત મળી કુલ ૨૪,૪૬૯ હેક્ટરમાં ખરીફ પાકોના વાવેતરમાં ૨૭૮૭ હેક્ટરમાં ડાંગર, ૭૫૫ હેક્ટરમાં કપાસ, ૬૫૩૭ હેક્ટરમાં મકાઈ, ૩૪૪૯ હેક્ટરમાં સોયાબિન તેમજ ૪૮૧૮ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયું છે. જિલ્લામાં કુલ ૬૭૯ હેક્ટરમાં કેળના વાવેતર પૈકી સૌથી વધુ કામરેજ તાલુકામાં ૫૫૮ હેક્ટરમાં કેળનું વાવેતર થયું છે. જિલ્લામાં કુલ ૬૫૩૭ હેક્ટરમાં મકાઇનું વાવેતર થયુ છે, જેમાં ઉમરપાડા તાલુકામાં જ ૬૫૧૫ હેક્ટર મકાઇ વવાઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જિલ્લામાં સરેરાશ ૧,૦૮,૯૬૭ હેક્ટરનું વાવેતર રહ્યું છે. જિલ્લામાં ખરીફ વાવેતરની એક ઝલક . . . . . . . . . . . . જિલ્લામાં કુલ ૨૭૮૭ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે, જે પૈકી માત્ર ઓલપાડ તાલુકામાં જ ૧૨૪૬ હેક્ટરમાં ડાંગર રોપણી થઇ છે. મકાઈના ૬૫૩૭ હેક્ટરમાં કુલ થયેલા વાવેતર પૈકી માત્ર ઉમરપાડા તાલુકામાં જ સૌથી વધુ ૬૫૧૫ હેક્ટરમાં મકાઈ વાવવામાં આવી છે. જિલ્લામાં કુલ ૭૯૧ હેક્ટરમાં જુવાર વાવેતર થઇ છે, જેમાં ઉમરપાડા તાલુકામાં જ ૫૪૦ હેક્ટર જુવાર વવાઈ છે. જિલ્લામાં કુલ ૬૫૩૭ હેક્ટરમાં મકાઇનું વાવેતર થયુ છે, જેમાં ઉમરપાડા તાલુકામાં જ ૬૫૧૫ હેક્ટર મકાઇ વવાઈ છે. કુલ ૧૨૭૯ હેક્ટરમાં તુવેરના વાવેતર પૈકી ઉમરપાડા તાલુકામાં જ ૫૨૧ હેક્ટરમાં તુવેર, ૧૧૮ હેક્ટરમાં મગના વાવેતર પૈકી ચોર્યાસી તાલુકામાં જ ૪૫ હેક્ટરમાં મગ, ૧૯૩ હેક્ટરમાં અડદના વાવેતર પૈકી ઉમરપાડા તાલુકામાં જ ૧૭૦ હેક્ટરમાં અડદ, ૩૪૪૯ હેક્ટરમાં સોયાબિનના વાવેતર પૈકી માંગરોળ તાલુકામાં જ ૩૧૦૦ હેક્ટરમાં સોયાબિન, ૭૫૫ હેક્ટરમાં કપાસના વાવેતર પૈકી માંગરોળ તાલુકામાં જ ૪૪૩ હેક્ટરમાં કપાસ, ૪૮૧૪ હેક્ટરમાં શાકભાજીના વાવેતર પૈકી માંડવી તાલુકામાં ૧૨૮૫ હેક્ટર, ઓલપાડ તાલુકામાં ૧૨૫૦ હેક્ટર, માંગરોળમાં ૭૫૦ હેક્ટરમાં સૌથી વધુ શાકભાજી વાવવામાં આવી છે. ઉપરાંત મગફળી, બાજરી, તલ, ગુવાર, ઘાસચારાનું પણ વાવેતર પણ શરૂ થઈ ચૂક્યું છે.

સાર્વત્રિક મેઘમહેર બાદ સુરત જિલ્લામાં ૨૪,૪૬૯ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર -------- સુરત જિલ્લામાં ૨૭૮૭ હેક્ટરમાં...

Posted by Information Surat GoG on Tuesday, July 9, 2024

Comments

Popular posts from this blog

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ

 Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ *તાપી જિલ્લાના ૧૭૫ ગામોના ૬ હજારથી વધુ કુટુંબોના ૨૭,૩૯૭ લોકોને ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું મહા અભિયાન એટલે PM-JANMAN :-જિલ્લા વિકાસ અધિકારીશ્રી વીએન.શાહ* - *PM-JANMAN અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થને પત્રકાર પરિષદ યોજાઇ* (માહિતી બ્યુરો તાપી) તા.૨૩- ભારત સરકારશ્રી દ્વારા આદિમ જૂથ સમુદાય (PVTG) ના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો આપી વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ૨૩ ઓગષ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી બીજા તબકાનો PMJANMAN મહા અભિયાનનો પ્રારંભ કરાયો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિમજૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈ ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજીત રૂપિયા ૨૪ હજાર કરોડ જેટલા અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ટકા સિધ્ધિ હાંસલ થાય તે માટે કુલ ૬૮ જેટલા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ (IAS) એ પત્...

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ “સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪: સુરત” ------------  સ્વચ્છતા એ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જનઆંદોલન બનાવીએ  ઔદ્યોગિક કંપનીઓના સહકારથી આગામી સમયમાં દરિયાકિનારે કાપડની થેલીના વેડિંગ મશીન મૂકવાનું આયોજન        :- વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ------------ સ્વચ્છતા અભિયાનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સજાગ બનતા સુરતીઓ ------------ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન વેગ પકડી રહ્યું છે, જેને અનુસંધાને ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (GEMI) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમ્મસ બીચ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ’ની ઉજવણી સાથે સ્વચ્છતા ડ્રાઈવ યોજી ડુમ્મસ બીચની સાફસફાઈ કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ પણ ઝુંબેશમાં જોડાયા હતા.                  આ ...