Skip to main content

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...

તાપી જિલ્લાનો ઇતિહાસ|History of Tapi District

 તાપી જિલ્લાનો ઇતિહાસ|History of Tapi District

ઇ.સ.૨૦૦૭ દરમ્યાન સુરત જિલ્લાના અમૂક તાલુકા છુટા પાડી તાપી જિલ્લાની રચના થઇ છે. તાપી જિલ્લાનું મુખ્યમથક વ્યારા છે. તાપી જિલ્લામાં વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ,ડોલવણ,કુકરમુંડા, તેમજ નિઝર તાલુકા આવેલ છે.

જિલ્લા મુખ્ય મથક- વ્યારા

સરહદ- ઉત્તરે નર્મદા, પૂર્વમાં મહારાષ્ટ્ર, દક્ષિણમાં ડાંગ અને નવસારી તથા પશ્ચિમમાં સુરત

ક્ષેત્રફળ-3435 ચો.કિ.મી.

સાક્ષરતા- 69.23%

વસ્તી- 8,06,489

વિશેષતા-

તાપી જિલ્લાને “ગુજરાતનું પૂર્વ દિશાનું દ્વાર” નું બિરૂદ આપવામાં આવેલું છે.

લિંગાનુપાતમાં ગુજરાતમાં ડાંગ પછી બીજા નંબરે છે.

તાપી જિલ્લામાં “હરણફાળ” નામના સ્થળેથી તાપી નદી પ્રવેશ કરે છે.

જોવાલાયક સ્થળો : 

ઉકાઈ : અહીં તાપી નદી પર વિશાળ ઉકાઇ બંધ અને જળવિદ્યુતમથક આવેલા છે. આ ઉપરાંત અહીં કોલસા આધારિત તાપવિદ્યુતમથક પણ આવેલું છે.

કાકરાપાર : અહીં તાપી નદી પર વીયર પ્રકારનો બંધ બાંધવામાં આવેલો છે. કાકરાપાર યોજનાની નહેરો આખા દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલી છે અને બારેમાસ પાણી પૂરું પાડે છે. તેમજ અહીં દેશનુંં એક મહત્ત્વનું અણુશક્તિ વિદ્યુત મથક પણ આવેલ છે.

  ડોસવાડા : ડોસવાડા ગામ પાસે મીંઢોળા નદી પર નાનો બંધ બાંધવામાં આવેલ છે.

 વીરથવા  : આહવાથી નવાપુર જતાંં માર્ગ પર આવેલા વીરથવા આશ્રમ ખાતે ખજૂરીનું વન જોવાલાયક છે. એમાંથી મેળવાયેલ કુદરતી પીણું નીરો પીવાની ખૂબ જ મઝા પડે છે. અહીંથી ડાંગ જિલ્લામાં આવેલું શબરીધામ (આશરે ૧૧ કિલોમીટર) તેમજ ગિરમાળનો ગિરા ધોધ (૧૦ કિલોમીટર) ખૂબ નજીક આવેલાં સ્થળો છે.

ઉંચામાળા : ઉંચામાળા નજીક કાકરાપાર અણુશક્તિ મથક બાંધવામાં આવ્યું ત્યારથી આ ગામને અણુમાળા પણ કહેવાય છે. આ ગામ ખાતે અણુમથકના કર્મચારીઓના રહેવા માટેની વસાહત આવેલી છે.

ગૌમુખ: સોનગઢ તાલુકાના મુખ્ય મથકથી ડાંગના જગલ તરફ જતાંં રસ્તામાં આ સ્થળ આવે છે. જ્યા ઊંચા ડુંગર પર પથ્થરમાંથી બનાવેલા ગાયનાં મુખમાંથી બારેમાસ સતત પાણી નીકળ્યા કરે છે. એક માન્યતા મુજબ તે દેવતાઓની ગાય છે.

વાજપુરનો કિલ્લો : ઉચ્છલ તાલુકાના જાંબલી ગામની નજીક ઉકાઇ બંધના જળાશયના નીચાણ વિસ્તારમાં આ કિલ્લો આવેલો છે. ઉનાળાના દિવસો દરમ્યાન પાણી ઓછું થતાંં આ કિલ્લો બહાર દેખાય છે. મહારાષ્ટ્રના ખાનદેશ પ્રાંત તરફથી આવતા આક્રમણથી સોનગઢના ગાયકવાડી રાજ્યને બચાવવા કિલ્લાનું નિર્માણ થયુંં હતુંં.

દેવલપાડા (દેવલીમાડી) : સોનગઢ તાલુકાના દેવલપાડા ગામે દેવલી માડીનું મંદીર આવેલુ છે.

કાળાકાકર ડુંગર : ડોલવણ તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલ  અને વરજાખણ ગામ વચ્ચે આવેલો ડુંગર કાળાકાકર તરીકે પ્રખ્યાત છે. ડુંગર ઉપર વરસાદના દેવ વરુણ દેવનું મંદિર આવેલું છે.

થુટી : થુટી ઉચ્છલ તાલુકામાં અને સોનગઢથી ૮ કિ.મી દૂર આવેલુ એક નાનકડુ ગામ છે. થુટી ગામ ઉકાઇ જળાશયનાં કિનારે આવેલુ છે અને આ સ્થળની પર્યટકો મોટી સંખ્યામાં મુલાકાત લે છે.

 ઢોંગી આંબા : ઢોંગી આંબા ખાતે  સૈયદ કાદર શાહ બાવાની જાણીતી દરગાહ આવેલી છે. જ્યાં લોકો બાધા આખડી માટે દૂર દૂરથી લોકો અહીં આવે છે.

જાણીતા વ્યક્તિઓ

સુરેશ જોષી (૧૯૨૧–૧૯૮૬) લેખક અને શિક્ષણશાસ્ત્રી. જન્મ: વાલોડ.

અમરસિંહ ચૌધરી ‍(૧૯૪૧ -૨૦૦૪) ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. જન્મ: ડોલવણ.

વ્યારા 1947 સુધી ગાયકવાડી શાસન હેઠળ હતું.

વડોદરાના ગાયકવાડનો જૂનો મહેલ આવેલો છે.

સોનગઢ- શિવાજી સુરત લુટવા ખાનદેશમાંથી સોનગઢ થઈને આવ્યા હતા. અહિં પિલાજીરાવ ગાયકવાડે ભીલો પાસેથી સોનગઢનો કિલ્લો જીતી લઇ 1719માં ગાયકવાડ શાસનનું પ્રથમ પાટનગર બનાવ્યું હતું અને સોનગઢનો કિલ્લો બંધાવ્યો હતો. કિલ્લા પર દરગાહ અને મહાકાળી મંદિર છે.

ઉકાઇ- સોનગઢ તાલુકામાં આવેલું છે. તાપી નદી પર અહિં બંધ બાંધવામાં આવ્યો છે. જેનાથી રચાયેલ સરોવરને  “વલ્લભસાગર સરોવર” કહેવામાં આવે છે. અહિં જળવિદ્યુત મથક આવેલું છે. ઉકાઇ ડેમ એ બહુહેતુક યોજના અને મત્સ્યઉદ્યોગ કેન્દ્ર છે.

વાલોડ- વાલ્મિકી નદીના કિનારે આવેલું છે. સુરેશ જોષીનું જન્મસ્થળ. વાલોડનું પ્રાચિન નામ “વડવલ્લી” જે “સરદાર સહકારી મંડળી”ની પ્રવૃતિઓ માટે જાણીતું છે. અહીં લિજ્જત પાપડ બનાવવાનો ગૃહ ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્યો છે.

વેડછી- વાલોડ તાલુકામાં આવેલું છે. તે જુગતરામ દવે અને ચુનીલાલ મહેતાની કર્મભૂમિ છે. અર્વાચીન ઋષિ સમાન જુગતરામ દવેનો “વેડછી આશ્રમ” છે. ગાંધીજીના અંતેવાસી જુગતરામે અહીં આદિવાસી અને પછાત લોકોના શિક્ષણ અને ઉત્થાનની પ્રવૃતિઓ કરી હતી. તેમણે અહીં શિક્ષકો અને કાર્યકરો તૈયાર કર્યા હતા. આશ્રમમાં પવનચક્કી, સૌર ઉર્જા અને ખેતીને લગતા અનેક પ્રયોગો થાય છે. ઉપરાંત જયપ્રકાશ નારાયણ પ્રેરિત નારાયણ મહાદેવ દેસાઇનું “સંપૂર્ણક્રાંતિ મહાવિદ્યાલય” આવેલું છે.

મુખ્યત્વે તાપી જિલ્લામાં આદિવાસી વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં ગામીત, વસાવા ,કુકણા, કોંકણી, ધોડિયા, ચૌધરી, કોટવાળીયા, ભીલ, કુનબી, જેવી જ્ઞાતિના લોકો વસવાટ કરે છે.

મુખ્ય નદીઓ- તાપી, પૂર્ણા, વાલ્મિકી.

સિંચાઇ યોજનાઓ- ઉકાઇ બંધ – ઉકાઇ ખાતે તાપી નદી પર.

ખેતી- શેરડી, કઠોળ, કેળા, કેરી, જુવાર વગેરે પાક થાય છે.

ઉદ્યોગ- સોનગઢ ખાતે કાગળ, પૂંઠા, કાગળનો માવો બનાવતી “સેન્ટ્રલ પલ્પ મિલ” આવેલી છે. આ ઉપરાંત ખાંડની મિલો પણ આવેલી છે. તથા ઇમારતી લાકડાનો ઉદ્યોગ વિકસ્યો છે.

રાષ્ટ્રીય રાજમાર્ગ- રાષ્ટ્રિય રાજમાર્ગ નંબર-6 (નવો નંબર-53) પસાર થાય છે.

અગત્યના રેલવે સ્ટેશન- વ્યારા, સોનગઢ

નૃત્ય- હાલી નૃત્ય- તાપી અને સુરત જિલ્લાનાં દુબળા આદિવાસીઓ આ “હાલી નૃત્ય” કરે છે.

કુકરમુંડા તાલુકાનાં ગામો 

અક્કલઉતાર (તા. કુકરમુંડા)

ઇટવાઇ (તા. કુકરમુંડા)

ઉંટાવદ (તા. કુકરમુંડા)

ઉભદ (તા. કુકરમુંડા)

ઉમજા (તા. કુકરમુંડા)

કુકરમુંડા

કુકરમુંડા તાલુકો

ગંગથા (તા. કુકરમુંડા)

ગાડીદ (તા. કુકરમુંડા)

ગોરસા (તા. કુકરમુંડા)

ચોખીઆમલી (તા. કુકરમુંડા)

ઝીરીબેડા (તા. કુકરમુંડા)

ઝુમકુટી (તા. કુકરમુંડા)

ડાબરીઆંબા (તા. કુકરમુંડા)

પરોડ (તા. કુકરમુંડા)

પાટી (તા. કુકરમુંડા)

પાટીપાડા (તા. કુકરમુંડા)

પાણીબારા (તા. કુકરમુંડા)

ફુલવાડી (તા. કુકરમુંડા)

બોરીકુવા (તા. કુકરમુંડા)

ભમસાળ (તા. કુકરમુંડા)

મેંઢપુર (તા. કુકરમુંડા)

વરપાડા (તા. કુકરમુંડા)

સતોલા (તા. કુકરમુંડા)

સદાગવણ (તા. કુકરમુંડા)

હથોડા (તા. કુકરમુંડા) 

ઉચ્છલ તાલુકાના ગામો

મીરકોટ (ઉચ્છલ)

મોગરણ

મોગલબારા

મોહિની (ઉચ્છલ)

રંગાવલી નદી

વડગામ (ઉચ્છલ)

વડપાડા (નેસુ)

વાઘસેપા નાના

વાઘસેપા મોટા

સસા (ઉચ્છલ)

સાકરદા (ઉચ્છલ)

સુંદરપુર

સેલુડ

સેવટી (ઉચ્છલ)

હરીપુર (ઉચ્છલ) 


ડોલવણ તાલુકાનાં ગામો 

પીપલવાડા

બાગલપુર

બેડચીત

બેડારાયપુરા

બેસાનીયા

બોરકચ્છ

ભોજપુરદુર

મંગલીયા

રામપુરાદુર

રેંગણકચ્છ

વરજાખણ

વાંકલા

હરીપુરા (ડોલવણ) 


નિઝર તાલુકાના ગામો 

દેવમોગરા (નિઝર)

દેવલા (તા. નિઝર)

નાસરપુર (નિઝર)

નિઝર

નિઝર (પિપલોદ)

નિઝર તાલુકો

નિમભોરે

નેવાળે (નિઝર)

પામલાસ (નિઝર)

પીશાવર

બહુરૂપા

બાલ્દે

બાળમ્બે

બુધવળ(આસ્તે)

બેજ (નિઝર)

બોરડે (નિઝર)

બોરથે (નિઝર)

બોરદે

ભીલજાંબોલી

ભીલભવાલી

માતાવળ

મુબારકપુર

મોદાલે

મોરઆંબા

રણૈછી (નિઝર)

રાજપુર (તા. નિઝર)

રાયગઢ (તા. નિઝર)

લક્ષ્મીખેડા

લેકુરવાડી (નિઝર)

વડલી (નિઝર)

વાંકા (નિઝર)

વેલદા (તા. નિઝર‌)

વેસગામ (નિઝર)

વ્યાવલ

શાલે (નિઝર)

શેલુ (નિઝર)

સરવલે

સુલવડે

હરદુલી દિગાર

હાથનુર દિગાર

હીંગણી દિગાર

હોલ (તા. નિઝર) 

વાલોડ તાલુકાના ગામો 

ભીમપોર

મોરદેવી

રાનવેરી (વાલોડ)

વાલોડ

વાલોડ તાલુકો

વીરપોર

વેડછી

શાહપોર (વાલોડ)

શિકેર

સ્યાદલા

હથુકા 

વ્યારા તાલુકાના ગામો 

વાંસકુઇ (વ્યારા)

વાઘઝરી

વાઘપાણી

વાલોઠા

વિરપુર (વ્યારા)

વેલધા

વ્યારા

વ્યારા તાલુકો

શાહપુર (વ્યારા)

સરૈયા (વ્યારા)

સાંકળી (વ્યારા)

સાદડવન

સારકુવા

હળમુંડી 

સોનગઢ તાલુકાના ગામો 

મોટીભુરવણ

મોહપાડા (મલંગદેવ)

રાણીઆંબા

રામપુરા (કણદેવી)

રામપુરા (કોઠાર)

રાસમાટી

રુપવાડા

લંગાડ

લવચાલી (સોનગઢ)

લીંબી (સોનગઢ)

વંઝાફળી

વડપાડા (ઉમરદા)

વડપાડા (ટોકરવા)

વાગદા

વાઘનેરા

વાજપુર (તા. સોનગઢ)

વાઝરદા

વાડા (ભેંસરોટ)

વાડીભેંસરોટ

વાડીરુપગઢ

વીરથવા

વેકુર

વેલઝર

શ્રવણીયા

સરજામલી

સાંઢકુવા

સાતકાશી

સાદડકુવા

સાદડવેલ (સોનગઢ)

સાદડુન

સામરકુવા

સિંગપુર

સિંગલખાંચ

સિંગલવણ

સિસોર

સીણંદ

સીરસપાડા

સેરુલા

સેલઝર

સોનગઢ તાલુકો

સોનારપાડા

હનમંતિયા

હિંદલા(સોનગઢ)

હીરાવાડી

Comments

Popular posts from this blog

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ

 Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ *તાપી જિલ્લાના ૧૭૫ ગામોના ૬ હજારથી વધુ કુટુંબોના ૨૭,૩૯૭ લોકોને ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું મહા અભિયાન એટલે PM-JANMAN :-જિલ્લા વિકાસ અધિકારીશ્રી વીએન.શાહ* - *PM-JANMAN અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થને પત્રકાર પરિષદ યોજાઇ* (માહિતી બ્યુરો તાપી) તા.૨૩- ભારત સરકારશ્રી દ્વારા આદિમ જૂથ સમુદાય (PVTG) ના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો આપી વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ૨૩ ઓગષ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી બીજા તબકાનો PMJANMAN મહા અભિયાનનો પ્રારંભ કરાયો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિમજૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈ ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજીત રૂપિયા ૨૪ હજાર કરોડ જેટલા અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ટકા સિધ્ધિ હાંસલ થાય તે માટે કુલ ૬૮ જેટલા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ (IAS) એ પત્...

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ “સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪: સુરત” ------------  સ્વચ્છતા એ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જનઆંદોલન બનાવીએ  ઔદ્યોગિક કંપનીઓના સહકારથી આગામી સમયમાં દરિયાકિનારે કાપડની થેલીના વેડિંગ મશીન મૂકવાનું આયોજન        :- વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ------------ સ્વચ્છતા અભિયાનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સજાગ બનતા સુરતીઓ ------------ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન વેગ પકડી રહ્યું છે, જેને અનુસંધાને ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (GEMI) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમ્મસ બીચ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ’ની ઉજવણી સાથે સ્વચ્છતા ડ્રાઈવ યોજી ડુમ્મસ બીચની સાફસફાઈ કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ પણ ઝુંબેશમાં જોડાયા હતા.                  આ ...

વ્યારા,તાપી જિલ્લો

 અહીં વ્યારા શહેર વિશે કેટલીક હકીકતો છે  - વ્યારા એ ગુજરાતના તાપી જિલ્લામાં આવેલું શહેર છે. - સુરતથી શહેર 65 કિલોમીટર દૂર છે. - વ્યારાની વસ્તી 36,213 છે, જેમાં પુરુષો 49% અને સ્ત્રીઓ 51% છે. - વ્યારાનો સરેરાશ સાક્ષરતા દર 74% છે. - આ શહેર ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ મધ્ય પ્રદેશ સાથે સડક દ્વારા સારી રીતે જોડાયેલું છે. - સૌથી નજીકનું એરપોર્ટ સુરતમાં છે, જે 70 કિલોમીટર દૂર છે. - વ્યારામાં રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન છે. - આ શહેર પર અગાઉ બરોડા રજવાડાનું શાસન હતું. - ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનો જન્મ વ્યારામાં થયો હતો. - શહેરમાં જલવાટીકા ગાર્ડન, ગાયત્રી મંદિર, વ્યારા કિલ્લો અને માયાદેવી વોટરફોલ મંદિર જેવા ઘણા આકર્ષક કુદરતી સ્થળો છે. અહીં વ્યારામાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ છે. - વ્યારા ક્લસ્ટરમાં શાળાઓ: વ્યારા ક્લસ્ટરમાં 23 શાળાઓ છે, જેમાં જાહેર અને ખાનગી બંને શાળાઓનો સમાવેશ થાય છે. - શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટસ એન્ડ શ્રીમતી જે.કે.શાહ અને શ્રી કે.ડી.શાહ કોમર્સ કોલેજ: આ સંસ્થાની સ્થાપના 1972માં 250 વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવી હતી. આજે, તેમાં 2,000 થી વધુ વિદ્યાર્થીઓ ...