Skip to main content

Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

  Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 27938 લાભાર્થીઓને રૂ.748.21 કરોડની સહાયનું વિતરણ ------------------ આવા કલ્યાણકારી મેળાઓ યોજી આર્થિક અસમાનતાને દૂર કરવાની સરકારની નેમ છે: રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા   ------------------ ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ૧૪મો જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો  આજરોજ  વ્યારા  ખાતે શુભારંભ કરવામાં આવ્યો.  તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ 27938  લાભાર્થીઓને 20 જેટલી યોજનાઓ દ્વારા કુલ રૂ.748.21 કરોડની માતબર રકમના ચેક તેમજ સાધન સહાય અર્પણ કરી આ મેળાનો પ્રારંભ થયો. મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી રાજ્યસરકારની વિવિધ લોકકલ્યાણ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.  આ ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલા મંત્રીશ્રી પ્રફુલભ

Uchchhal-Nizar- Kukarmunda: ઉચ્છલ,નિઝર, કુકરમુંડા તાલુકામાં અનામત વૃક્ષ મહુડો અમૃત તથા કલ્પવૃક્ષ સમાન

Uchchhal-Nizar- Kukarmunda: ઉચ્છલ,નિઝર, કુકરમુંડા તાલુકામાં અનામત વૃક્ષ મહુડો અમૃત તથા કલ્પવૃક્ષ સમાન

Post credit: Sandesh news paper


તાપી જિલ્લાના છેવાડાના ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકા તથા સોનગઢ, વ્યારા તાલુકાના જંગલ વિસ્તાર તથા અંતરિયાળ ગામોમાં મહુડાના વૃક્ષ ઔષધિય ગુણવત્તાથી ભરપુર હોવાનું માનવામાં આવે છે, 

જેના પાન, ફુલ, ફળો, લાકડાનો ઉપયોગ થતો હોવાથી ખેડુત પરિવારો પણ આ વૃક્ષને ખેતરોના શેઢા ઉપર રાખવાનું ઉચિત માની જેમાંથી આવક મેળવે છે, પરંતુ હાલમાં વાવાઝોડાના માહોલ વચ્ચે કેટલાંક વૃક્ષો ઉપરથી કાચી ડોળી(ફળ) પડવા લાગતા સિઝનમાં ડોળીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના વધી છે.

આદિવાસી પરિવારો જળ, જંગલ અને જમીન સાથે જોડાયેલા રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના લોકો જંગલોમાં ઉગતા વન્ય ફળો, ફુલો, પાન, છાલએ તમામનો એક ઔષધિ તરીકે વર્ષોથી ઉપયોગ કરતા આવ્યા છે, ઔષધિય વૃક્ષોમાં મહુડાનો પણ સમાવેશ થાય છે. 

તાપી જિલ્લાના ઉચ્છલ, નિઝર, કુકરમુંડા, સોનગઢ, વ્યારા, ડોલવણ તાલુકાના જંગલ તથા આંતરિયાળ ગામોમાં મહુડાને આવક રળી આપતું વૃક્ષ માનવામાં આવે છે. જંગલો તથા ખેતરોના શેઢા ઉપર જોવા મળતા મહુડાનું વૃક્ષ લાંબું આયુષ્ય ધરાવે છે, કદાવર તથા ઘટાદાર તેમજ મજબુત વૃક્ષને ખેતરોના શેઢા ઉપર રાખવાનું ખેડુત પરિવારો પસંદ કરે છે. 

છાંયડો અને શીતળતા આપતા આ વૃક્ષની નીચે ખેતરોમાં કામ કરતા મજુરો, ખેડુત પરિવારો વિસામો લેતા હોય છે. ઝાડના પાંદડા ગ્રામ્ય વિસ્તારોમાં બનાવાતી વાનગી પાન્યા રોટલા બનાવવા માટે કરે છે, ફુલોનું મહત્વ વધુ છે, 

ફેબ્રુઆરી માસ આવતા જ મહુડાના ફુલો ઝાડ ઉપરથી પડવાની શરૂઆત થતા ગૃહિણીઓ વહેલી સવારથી જ ફુલો વિણવા પહોંચી જાય છે, લગભગ એક ઝાડ નીચેથી ફુલો એકત્રિત કરતા એક બપોર જેટલો સમય પણ વીતી જાય છે. 

ફુલો એકત્રિત કરી જેને સુકવીને બજારોમાં વેચી આવક મેળવે છે. મહુડાના ફુલ આર્યુવેદિક દવાઓમાં ઉપયોગમાં આવે છે, તેમજ ફુલો ઉકાળીને ગ્રામ્ય વિસ્તારોમાં કેમિકલ વગરનો ઔષધિય દારૂ પણ કેટલાંક લોકો બનાવે છે. 

આ ફુલોનો રસ(ફુલ દારૂ)નાના બાળકોમાં થતા ઓરિ, અછબડા જેવા ગરમીના રોગો સામે રક્ષણ આપતો હોવાની માન્યતા છે. શરીરે ફુલ્લા જેવા ચિહ્ દેખાય તો શરીર ઉપર દારૂ લગાડવામાં આવતા જે મટી જતા હોવાનું વયોવૃધ્ધો જણાવે છે.

મહુડાના ફુલ આવક રળી આપે છે, જેના ફળોને ગ્રામ્ય ભાષામાં ડોળી કહેવામાં આવે છે, ફળો ઝુમખાં સાથે લાગે છે, જુન માસમાં ફળો પાકી જાય છે. ફળોમાંથી જેના બીજ કાઢવામાં આવે છે તેમજ જેને સુકવીને બીજમાંથી તેલ કાઢવામાં આવે છે. આ તેલનો આદિવાસી પરિવારો ખાવામાં ઉપયોગમાં લેતા હોય જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. 

મહુડાનો ઝાડની પણ ખુબ અગત્યતા છે, જેમાંથી ફર્નિચર તેમજ આદિવાસીઓનું પ્રખ્યાત વાદ્ય ચાંગી ઢોલ બનાવવામાં આવે છે, જે લગ્નો સિઝન કે કોઈપણ સામાજિક પ્રસંગોમાં ચાંગી ઢોલ વગાડી આદિવાસીઓ આદિવાસી નૃત્ય કરે છે. મહુડાના ઝાડના પાન, ફળ, ફુલો તથા લાકડાનો ઉપયોગ થાય છે, અનામત વૃક્ષ તરીકે ઓળખ ધરાવતા વૃક્ષને આદિવાસીઓ ઔષધિય વૃક્ષ તરીકે ઓળખે છે.

Comments

Popular posts from this blog

Surat(Kamarej) : સુરત જિલ્લાના કઠોરર્માપરંપરાગત હોર્સ રેસિંગ સ્પર્ધા યોજવામા આવી.

  Surat(Kamarej) : સુરત જિલ્લાના કઠોરર્માપરંપરાગત હોર્સ રેસિંગ સ્પર્ધા યોજવામા આવી

Tapi (vyara) : તાપી જિલ્લા કલેકટરશ્રી ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ વ્યારા તાલુકાના વિવિધ મનોરંજન સ્થળોએ જાત નિરીક્ષણ કરાયું.

 Tapi (vyara) : તાપી જિલ્લા કલેકટરશ્રી ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ  વ્યારા તાલુકાના વિવિધ મનોરંજન સ્થળોએ જાત નિરીક્ષણ કરાયું. તાપી જિલ્લા કક્લેક્ટર ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વ્યારા નગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફિસરની ટીમે વ્યારા તાલુકામાં આવેલી IRIS પ્લાઝા અને રાધે સિનેપ્લેક્સ સિનેમામાં ફાયર સેફ્ટી સુવિધાઓની જાત નિરીક્ષણ કરીને ખાતરી કરી હતી. સુરક્ષા વ્યવસ્થા તેમજ ફાયર સેફટી અંગેની સુવિધાઓ તથા એક્ઝિટ માટેના દરવાજાઓ હંમેશા ખુલ્લા રાખવા અને ફાયર સેફટી માટે તકેદારી રાખવા જરૂરી સૂચનો આપવામાં આવી છે. વધુમાં વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ટિચકપુરા ગામે આવેલી ગેમ ઝોન હાલ સંપુર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે.

તાપી જિલ્લાનો ઇતિહાસ|History of Tapi District

 તાપી જિલ્લાનો ઇતિહાસ|History of Tapi District ઇ.સ.૨૦૦૭ દરમ્યાન સુરત જિલ્લાના અમૂક તાલુકા છુટા પાડી તાપી જિલ્લાની રચના થઇ છે. તાપી જિલ્લાનું મુખ્યમથક વ્યારા છે. તાપી જિલ્લામાં  વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ,ડોલવણ,કુકરમુંડા, તેમજ નિઝર  તાલુકા આવેલ છે. જિલ્લા મુખ્ય મથક- વ્યારા સરહદ- ઉત્તરે નર્મદા, પૂર્વમાં મહારાષ્ટ્ર, દક્ષિણમાં ડાંગ અને નવસારી તથા પશ્ચિમમાં સુરત ક્ષેત્રફળ-3435 ચો.કિ.મી. સાક્ષરતા- 69.23% વસ્તી- 8,06,489 વિશેષતા- તાપી જિલ્લાને “ગુજરાતનું પૂર્વ દિશાનું દ્વાર” નું બિરૂદ આપવામાં આવેલું છે. લિંગાનુપાતમાં ગુજરાતમાં ડાંગ પછી બીજા નંબરે છે. તાપી જિલ્લામાં “હરણફાળ” નામના સ્થળેથી તાપી નદી પ્રવેશ કરે છે. જોવાલાયક સ્થળો :  ઉકાઈ  : અહીં તાપી નદી પર વિશાળ ઉકાઇ બંધ અને જળવિદ્યુતમથક આવેલા છે. આ ઉપરાંત અહીં કોલસા આધારિત તાપવિદ્યુતમથક પણ આવેલું છે. કાકરાપાર  : અહીં તાપી નદી પર વીયર પ્રકારનો બંધ બાંધવામાં આવેલો છે. કાકરાપાર યોજનાની નહેરો આખા દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલી છે અને બારેમાસ પાણી પૂરું પાડે છે. તેમજ અહીં દેશનુંં એક મહત્ત્વનું અણુશક્તિ વિદ્યુત મથક પણ આવેલ છે.    ડોસવાડા  : ડોસવાડા ગામ પ