Skip to main content

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...

તાપી જીલ્લાનો ઇતિહાસ

તાપી જિલ્લાનો ઇતિહાસ

વર્ષ 2007 માં, અગાઉના સુરત જીલ્લાથી અલગ થયેલા કેટલાક તાલુકાઓના સંકલન થકી તાપી જીલ્લાની રચના કરવામાં આવી હતી. વ્યારા તાપી જીલ્લાનુ મુખ્ય મથક છે, જેમાં સાત તાલુકાઓ – વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ, ડોલવણ, કુકરમુંડા અને નિઝર સામેલ છે.

તાજેતરમાં 2007 માં 27 મી સપ્ટેમ્બર, સુરત જીલ્લાના વિભાજનના પરિણામે, બે નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા: સુરત અને તાપી. વ્યારા તાપી જિલ્લાનુ મુખ્ય મથક બન્યુ અને સુરત સુરત જીલ્લાનું મુખ્ય મથક બન્યુ. તાપીનું સ્થાન દક્ષિણ ગુજરાતમાં છે, મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લા સાથે તેની સરહદો જોડાયેલ છે. વ્યારા, સોનગઢ, વાલોડ,ઉચ્છલ, ડોલવણ, કુકરમુંડા, નિઝર તાપીના સાત તાલુકા તરીકે સૂચિબદ્ધ છે. વડોદરા રાજ્યના ગાદીપતિ સયાજીરાવ ગાયકવાડે વ્યારા નગર (હાલ તાપી જિલ્લાના મુખ્યમથક) પર શાસન કર્યું. અહી મુખ્યત્વે ચૌધરી, પટેલ, ગામિત, શાહ, દેસાઈ, પંચોલી, પંચાલ, રાણા, બ્રાહ્મણ જાતિના લોકો વસવાટ કરે છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી (૨૦૦૪ માં મૃત્યુ પામ્યા) નો જન્મ તાપી જીલ્લામા થયો હતો. તાપી જીલ્લામાં ગાઢ વાંસ સાથે ગાઢ જંગલો છે. પર્યટનના સ્થળોમાં સોનગઢનો કિલ્લો, હિન્દુસ્તાન બ્રિજ, ડોસવાડા ડેમ, તાપી નદી, ઉકાઈ ડેમ તથા ગૌમુખનો સમાવેશ થાય છે. સુરેશ જોશી (લેખક) તાપી જીલ્લાના જાણીતા વ્યક્તિઓ પૈકી એક છે.

Comments