Skip to main content

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝગામના રિક્ષાચાલક ભૂપેન્દ્રભાઈ સુરતી માટે થ્રી વ્હીલર રિક્ષા લોન યોજના બની આશીર્વાદરૂપ

 સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝગામના રિક્ષાચાલક ભૂપેન્દ્રભાઈ સુરતી માટે થ્રી વ્હીલર રિક્ષા લોન યોજના બની આશીર્વાદરૂપ


ભૂપેન્દ્રભાઈ સુરતીનું નવી થ્રી-વ્હીલર રિક્ષા ખરીદવાનું સ્વપ્ન થયું સાકારઃ પોતાની માલિકીની થ્રી વ્હીલર રિક્ષા મળતા ભાડાની રિક્ષા ચલાવવામાંથી કાયમી મુક્તિ મળીઃ


 અનુસૂચિત જાતિ વિકાસ નિગમ થકી ઓછા વ્યાજદરે રૂ.૨.૫૦ લાખની લોન મળતાં પોતાના માલિકીની થ્રી વ્હીલર રિક્ષાની ખરીદી કરીઃ

 રિક્ષાની ખરીદી પર સરકારની રૂ.૫૦ હજારની સબસિડી પ્રાપ્ત થઇઃ


સરકારની યોજનાએ મારા જેવા અનેક નાના માણસોને નવી નક્કોર રિક્ષાના માલિક બનાવ્યા: ભૂપેન્દ્રભાઈ સુરતી

----- 

અનુસૂચિત જાતિના બાંધવોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે, તેઓ આગળ વધી આત્મનિર્ભર બની શકે તેના માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. અનુસૂચિત જાતિ વિકાસ નિગમની થ્રી વ્હીલર લોન યોજના સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝગામના ૪૭ વર્ષીય રિક્ષાચાલક ભૂપેન્દ્રભાઈ સુરતી અને તેમના પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે. ઓછા વ્યાજદરે રૂ.૨.૫૦ લાખની લોન મળતાં પોતાના માલિકીની થ્રી વ્હીલર રિક્ષા ખરીદવાનું સ્વપ્ન સાકાર થયુ હતું. જેથી તેમના અને પરિવારજનોના ચહેરા પર ખુશાલી સમાતી ન હતી.

               સરકારની સહાયથી માલિકીની રિક્ષા ખરીદી કરી ભાડાની રિક્ષા ચલાવવામાંથી કાયમી મુક્તિ મળી છે એમ જણાવતા ભૂપેન્દ્રભાઈ મગનભાઈ સુરતી સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. તેઓ જણાવે છે કે, ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ધો.૧૦ સુધી અભ્યાસ કરી પરિવાર સાથે ખેતમજૂરીમાં જોડાયો હતો. ત્યારબાદ થોડા સમયમાં જ ગામના મિત્રોના સાથ સહકાર મળતાં રિક્ષા ડ્રાઈવિંગ શીખવાની શરૂઆત કરી. સમય જતા ભાડાની રિક્ષા(બચત પર રિક્ષા) ચલાવવાની શરૂઆત કરી. એક દિવસની કમાણીમાંથી પ્રત્યેક દિવસે રૂ.૧૫૦ રિક્ષામાલિકને ભાડા પેટે આપવાની રહેતી હતી. જેથી આખો દિવસ રિક્ષા ચલાવવા વધુ મહેનત કરવી પડતી હતી. માલિકીની રિક્ષા હોય તો આવકની બચત કરી શકાય એવું પણ વિચાર્યું. થોડા સમયમાં જમાપુંજી બચાવી સેકન્ડહેન્ડ રિક્ષાની ખરીદી કરી હતી.

            વધુમાં તેમણે જણાવ્યું કે, સેકન્ડહેન્ડ રિક્ષા પાંચ-છ વર્ષ સુધી ચલાવ્યા બાદ ફરી ભાડાની રિક્ષા ચલાવવાની નોબત આવી ગઈ હતી. પરિવારનું ગુજરાન ચલવવાની સાથે બે દિકરીઓ અભ્યાસ કરતી હોવાથી બચત થઇ શકતી ન હતી અને તમામ આવક ઘરખર્ચમાં દીકરીઓના અભ્યાસમાં ખર્ચાઈ જતી. જેથી નવી રિક્ષા કઈ રીતે લેવી એની ગડમથલ રહેતી. એવામાં સવારે વર્તમાનપત્રમાં અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા ચાલતી થ્રી વ્હીલર રિક્ષા લોન યોજનાની જાહેરાત વાંચી હતી. તરત જ સુરત શહેરની અનુસૂચિત જાતિ વિકાસ નિગમ કચેરીનો સંપર્ક કરતા ઓનલાઈન અરજી કરવાનું જણાવાયું. જેથી ઓનલાઈન અરજી કરી ડોક્યુમેન્ટ જમા કરાવતાં ટુંક જ સમયમાં લોન પાસ કરી આપવામાં આવી અને નવી નક્કોર રિક્ષાનો માલિક બન્યો.

             તેઓ કહે છે કે, અનુસુચિત જાતિ વિકાસ નિગમ દ્વારા વાર્ષિક ૩ ટકાના દરે રૂ. ૨.૫૦  લાખની લોન મળતાં નવી થ્રી વ્હિલર રિક્ષા ખરીદી કરવા સપનું સાકાર થયું હતું. સરકારની આ યોજના થકી મારા જેવા અનેક નાના માણસો નવી રિક્ષાના માલિક બન્યા છે. રિક્ષાની ખરીદી પર મળેલી લોનમાં સરકાર દ્વારા રૂ.૫૦ હજાર સબસિડી પણ પ્રાપ્ત થઈ છે. ઉપરાંત ફી-શિપ કાર્ડ યોજના થકી મોટી દિકરી એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી છે. જેથી રાજ્ય સરકાર -અનુસુચિત જાતિ વિકાસ નિગમનો હું હંમેશા ઋણી રહીશ એમ તેમણે કહ્યું હતું.


સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝગામના રિક્ષાચાલક ભૂપેન્દ્રભાઈ સુરતી માટે થ્રી વ્હીલર રિક્ષા લોન યોજના બની...

Posted by Information Surat GoG on Tuesday, July 9, 2024

Comments

Popular posts from this blog

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ

 Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ *તાપી જિલ્લાના ૧૭૫ ગામોના ૬ હજારથી વધુ કુટુંબોના ૨૭,૩૯૭ લોકોને ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું મહા અભિયાન એટલે PM-JANMAN :-જિલ્લા વિકાસ અધિકારીશ્રી વીએન.શાહ* - *PM-JANMAN અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થને પત્રકાર પરિષદ યોજાઇ* (માહિતી બ્યુરો તાપી) તા.૨૩- ભારત સરકારશ્રી દ્વારા આદિમ જૂથ સમુદાય (PVTG) ના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો આપી વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ૨૩ ઓગષ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી બીજા તબકાનો PMJANMAN મહા અભિયાનનો પ્રારંભ કરાયો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિમજૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈ ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજીત રૂપિયા ૨૪ હજાર કરોડ જેટલા અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ટકા સિધ્ધિ હાંસલ થાય તે માટે કુલ ૬૮ જેટલા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ (IAS) એ પત્...

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ “સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪: સુરત” ------------  સ્વચ્છતા એ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જનઆંદોલન બનાવીએ  ઔદ્યોગિક કંપનીઓના સહકારથી આગામી સમયમાં દરિયાકિનારે કાપડની થેલીના વેડિંગ મશીન મૂકવાનું આયોજન        :- વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ------------ સ્વચ્છતા અભિયાનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સજાગ બનતા સુરતીઓ ------------ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન વેગ પકડી રહ્યું છે, જેને અનુસંધાને ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (GEMI) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમ્મસ બીચ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ’ની ઉજવણી સાથે સ્વચ્છતા ડ્રાઈવ યોજી ડુમ્મસ બીચની સાફસફાઈ કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ પણ ઝુંબેશમાં જોડાયા હતા.                  આ ...