તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...
મહુવા (સુરત) :પ્રાકૃતિક ખેતીનો વ્પાપ વધે તે માટે મહુવા તાલુકાના સણવલ્લા ગામે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્રની જાંબુધોડાના ૫૪ ખેડુતોએ મુલાકાત લીધી
મહુવા (સુરત) :પ્રાકૃતિક ખેતીનો વ્પાપ વધે તે માટે મહુવા તાલુકાના સણવલ્લા ગામે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્રની જાંબુધોડાના ૫૪ ખેડુતોએ મુલાકાત લીધી
પ્રેરણા પ્રવાસે આવેલા ખેડુતોએ પ્રાકૃતિક ખેતીના પાઠ શીખ્યાઃ પ્રાકૃતિક ખેતીનો વધુમાં વધુ વ્યાપ વધે તે માટે રાજય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના આત્મ પ્રોજેકટ દ્વારા જાબુધોડા તાલુકા આત્માના યોગેન્દ્ર સોલંકીના નેઝા હેઠળ ૫૪ જેટલા પ્રાકૃતિક કૃષિકારોએ પ્રેરણા પ્રવાસ અર્થે સુરત જિલ્લાના મહુવા તાલુકાના સણવલ્લા ખાતે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ખાતે મુલાકાત લઈને તાલીમ વર્ગમાં ભાગ લીધો હતો. નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ખાતેના અનુભવી કૃષિકારશ્રી ભરતભાઈ નાનુભાઈ પટેલે બાગાયતી પાક, કપાસ, જુવાર, તુવેર,શાકભાજી.મસાલાપાક પાકમાં જીવામૃત, ધનજીવામૃત, ખાટી છાસ, ગૌમૂત્ર, ગૌબર, ગૌ-કૃપા અમૃતમ કલ્ચર પ્રયો, આંબાકલમ ઉછેરની સચોટ માહિતી આપી હતી. ફાર્મર માસ્ટર ટ્રેનર શ્રી જીજ્ઞાસુભાઈ ભરતભાઈ પટેલ તથા હર્ષ ભરતભાઈ પટેલે મોડેલ ફાર્મ વિઝીટ કરાવી હતી. ખેડૂતો કઈ રીતે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરે તે અંગે વિગતો સાથે ડેમોટેશન નિહાળ્યું હતું.પ્રાકૃતિક ખેતીનો વ્પાપ વધે તે માટે મહુવા તાલુકાના સણવલ્લા ગામે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્રની જાંબુધોડાના ૫૪ ખેડુતોએ...
Posted by Information Surat GoG on Monday, July 8, 2024
Comments
Post a Comment