Skip to main content

Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

  Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 27938 લાભાર્થીઓને રૂ.748.21 કરોડની સહાયનું વિતરણ ------------------ આવા કલ્યાણકારી મેળાઓ યોજી આર્થિક અસમાનતાને દૂર કરવાની સરકારની નેમ છે: રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા   ------------------ ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ૧૪મો જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો  આજરોજ  વ્યારા  ખાતે શુભારંભ કરવામાં આવ્યો.  તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ 27938  લાભાર્થીઓને 20 જેટલી યોજનાઓ દ્વારા કુલ રૂ.748.21 કરોડની માતબર રકમના ચેક તેમજ સાધન સહાય અર્પણ કરી આ મેળાનો પ્રારંભ થયો. મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી રાજ્યસરકારની વિવિધ લોકકલ્યાણ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.  આ ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલા મંત્રીશ્રી પ્રફુલભ

પ્રાકૃતિક ખેતીમાં વાવેતર બાદ રોગ-જીવાત નિયંત્રણ માટે કુદરતી તત્વોથી ભરપુર છે લીમડો

 પ્રાકૃતિક ખેતીમાં વાવેતર બાદ રોગ-જીવાત નિયંત્રણ માટે કુદરતી તત્વોથી ભરપુર છે લીમડો

પ્રાકૃતિક ખેતીમાં જીવાતોના નિવારણ માટે અસરકારક છે નીમાસ્ત્ર પ્રાકૃતિક કૃષિ જનઅભિયાનને વધુ સાર્થક બનાવવા પ્રાકૃતિક કૃષિ પેદાશોની વેચાણ પ્રણાલી મજબૂત બનવાની સાથે ખેડૂતોને આર્થિક લાભ આપવા માટેના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનો કરેલી હાકલને ધ્યાનમાં રાખીને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ રાજ્યના લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, ત્યારે ગુજરાતની પ્રાકૃતિક ખેતીમાં આવનારા સમયમાં વિવિધ ઘટકોયુક્ત ‘લીમડો’ ખૂબ જ મહત્વનું પરિબળ બની રહેશે. પ્રાકૃતિક ખેતીમાં, પાકને કુદરતી સંસાધનોની મદદથી સુરક્ષિત અને પોષિત કરી શકાય છે. આપણા દેશમાં લીમડાના વૃક્ષને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. આયુર્વેદની અનેક દવાઓ અને પાકરક્ષક દવાઓ તથા ખાતરો આપનાર કડવો લીમડો પર્યાવરણનાં ઉત્તમ રક્ષક તરીકે ખૂબ જ ઉપયોગી છે. લીમડાના તેલમાં એઝાડીરેક્ટીન, નીમ્બીનન, નીમ્બીડીન, સેલેનીન, મેલીઓન્ટ્રીઓલ જેવાં ૧૦૦ થી પણ વધુ સક્રિય ઘટકો આવેલા છે. જેમાં મોલોમસી, સફેદ માખી, થ્રીપ્સ, મીલીબગ સહિત વિવિધ ઈયળો જેવી ૨૦૦ કરતાં વધારે નુકશાનકારક જીવાતો સામે રક્ષણ કરે છે. લીમડાના ઝાડની છાલ, બીજ, બીજની છાલ અને પાંદડામાં ઘણા સંયોજનોથી ભરપુર હોય છે. જીવાતોના નિવારણ માટે અસરકારક છે નીમાસ્ત્ર જૈવિક ખેતીમાં જીવાતોના નિવારણ માટે લીમડામાંથી બનાવેલ જંતુનાશકોને નીમાસ્ત્ર કહેવામાં આવે છે. જે ચૂસનાર જંતુઓ, નાની ઈયળોને નિયંત્રિત કરે છે. લીમડાના છંટકાવથી આવતી દુર્ગંધને કારણે જંગલી પ્રાણીઓ પાક ખાતા નથી. લીમડાને તૈયાર કર્યા પછી તેમાં 15 ગણું પાણી ભેળવીને છંટકાવ કરવો. જેને છંટકાવ કરતા પહેલા કપડાથી ગાળી લેવાનું હોય છે. લીંબોળી ખોળ (નીમ કેક)- કાર્બનિક ખાતરનો ખેતરમાં ઉપયોગ લીમડાના ખોળનો ઉપયોગ ગોબર અને સેન્દ્રિય ખાતર સાથે કરવો ખૂબ જ સરળ છે. છોડના વિકાસમાં અગત્યનો ભાગ ભજવતાં લગભગ બધા જ આવશ્યક પોષક તત્વો હોય છે. તે બાયો-ડિગ્રેડેબલ છે અને વિવિધ પ્રકારના ખાતરો સાથે તેનો ઉપયોગ કરી શકાય છે. તેમાં છોડના વિકાસ માટે જૈવિક સ્વરૂપમાં નાઈટ્રોજન ૨-૫ ટકા, ફોસ્ફરસ ૦.૫ થી ૧ ટકા, પોટેશિયમ -૨ ટકા, કેલ્શિયમ ૦.૫ થી ૩ ટકા, મેગ્નેશિયમ 0.3થી ૧ ટકા, સલ્ફર ૦.૨ થી ૩ ટકા, ઝિંક ૧૧૫ થી ૬૦ પીપીએમ, કોપર ૪-૨૦ પીપીએમ, આયર્ન ૫૦૦ થી ૧૨૦૦ પીપીએમ, મેંગેનીઝ ૨૦-૬૦ પીપીએમનું પ્રમાણ પાકને પોષક બનાવવામાં મદદરૂપ થાય છે. ઉપદ્રવી જીવાતના વિકાસને અવરોધવાની અસરકારક ક્ષમતા ધરાવે છે લીમડો એઝાડિરેક્ટીન જંતુઓને નિયંત્રિત કરવા માટે લીમડાના મુખ્ય એજન્ટ તરીકે ગણવામાં આવે છે. તે મોટા ભાગના જંતુઓ પર 90 ટકા અસરનું કારણ બને છે. એઝાડિરેકટીન અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વૃદ્ધિ નિયમનકાર અને ખોરાક નિવારક બન્યું છે. તે કેટલાક જંતુઓને છોડને સ્પર્શતા પણ અટકાવે છે. ઉપદ્રવી જીવાતના વિકાસને અવરોધવાની અસરકારક ક્ષમતા લીમડો ધરાવે છે. લીમડોમાં જમીન સુધારકના ઘટકો સંપૂર્ણપણે કુદરતી હોવાને કારણે તે જમીનના સૂક્ષ્મ જીવાણુઓ અને રાઈઝોસ્ફિયર માઈક્રોફ્લોરા સાથે સુસંગત છે અને તેથી જમીનની ફળદ્રુપતા સુનિશ્વિત કરે છે. લીમડાની કેક જમીનમાં કાર્બનિક દ્રવ્યોની સામગ્રીને સુધારે છે. જે જમીનની રચના, જમીનની પાણીને પકડી રાખવાની ક્ષમતામાં વધારો કરવાની સાથે મૂળના વધુ સારા વિકાસ માટે જમીનની વાયુમિશ્રણને સુધારવામાં મદદ કરવાથી જમીનની ફળદ્રુપતા પણ સુધારે છે. જમીનની સુધારણા સાથે અળસિયા જેવા ફાયદાકારક જીવોમાં પણ વધારો કરે છે તેમજ લીમડાની કેકનો ઉપયોગ જમીનમાં આલ્કલાઈન સામગ્રીને ઘટાડે છે. નેમેટોડ્સ અને સફેદ મુંડ(ઘૈણ)નું અસરકારક નિયંત્રણ કરે છે: જમીનમાં રહેતી હાનિકારક જીવાતો જેમ કે મૂળિયા ખાતી ઈયળો, ઉધઈ સારી રીતે તેનું નિયંત્રણ થાય છે. જમીનમાં યુરિયા, ડીએપી અને પોટાશ જેવા ખાતરોના ઉપયોગથી નેમેટોડ્સને નિયંત્રિત કરતી ફુગ તેમજ ફુગ બીજકણનાં અંકુરણ પર પ્રતિકૂળ અસર થાય છે અને તેની જાળવી રચનાને સંપૂર્ણપણે અવરોધે છે. લીમડાના ખોળનો ઉપયોગ કર્યા પછી પાકમાં તેના ફાયદા 3થી 6 અઠવાડિયામાં જોવા મળે છે. લીમડાના ખોળને જમીનમાં ધીરે ધીરે કામ કરવાને કારણે 6 મહિના સુધી તેનું પરિણામ જોવા મળે છે. ઓર્ગેનિક ખેતીમાં, પાકને કુદરતી સંસાધનોની મદદથી સુરક્ષિત અને પોષિત કરી શકાય છે. વનસ્પતિના સંસાધનોમાં લીમડાના છોડથી મળનાર પદાર્થોનો ઉપયોગ ઓર્ગેનિક ખેતીમાં મોટા પ્રમાણમાં થાય છે.

પ્રાકૃતિક ખેતીમાં વાવેતર બાદ રોગ-જીવાત નિયંત્રણ માટે કુદરતી તત્વોથી ભરપુર છે લીમડો ------------ પ્રાકૃતિક ખેતીમાં...

Posted by Information Surat GoG on Friday, July 12, 2024

Comments

Popular posts from this blog

Surat(Kamarej) : સુરત જિલ્લાના કઠોરર્માપરંપરાગત હોર્સ રેસિંગ સ્પર્ધા યોજવામા આવી.

  Surat(Kamarej) : સુરત જિલ્લાના કઠોરર્માપરંપરાગત હોર્સ રેસિંગ સ્પર્ધા યોજવામા આવી

Tapi (vyara) : તાપી જિલ્લા કલેકટરશ્રી ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ વ્યારા તાલુકાના વિવિધ મનોરંજન સ્થળોએ જાત નિરીક્ષણ કરાયું.

 Tapi (vyara) : તાપી જિલ્લા કલેકટરશ્રી ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ  વ્યારા તાલુકાના વિવિધ મનોરંજન સ્થળોએ જાત નિરીક્ષણ કરાયું. તાપી જિલ્લા કક્લેક્ટર ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વ્યારા નગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફિસરની ટીમે વ્યારા તાલુકામાં આવેલી IRIS પ્લાઝા અને રાધે સિનેપ્લેક્સ સિનેમામાં ફાયર સેફ્ટી સુવિધાઓની જાત નિરીક્ષણ કરીને ખાતરી કરી હતી. સુરક્ષા વ્યવસ્થા તેમજ ફાયર સેફટી અંગેની સુવિધાઓ તથા એક્ઝિટ માટેના દરવાજાઓ હંમેશા ખુલ્લા રાખવા અને ફાયર સેફટી માટે તકેદારી રાખવા જરૂરી સૂચનો આપવામાં આવી છે. વધુમાં વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ટિચકપુરા ગામે આવેલી ગેમ ઝોન હાલ સંપુર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે.

તાપી જિલ્લાનો ઇતિહાસ|History of Tapi District

 તાપી જિલ્લાનો ઇતિહાસ|History of Tapi District ઇ.સ.૨૦૦૭ દરમ્યાન સુરત જિલ્લાના અમૂક તાલુકા છુટા પાડી તાપી જિલ્લાની રચના થઇ છે. તાપી જિલ્લાનું મુખ્યમથક વ્યારા છે. તાપી જિલ્લામાં  વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ,ડોલવણ,કુકરમુંડા, તેમજ નિઝર  તાલુકા આવેલ છે. જિલ્લા મુખ્ય મથક- વ્યારા સરહદ- ઉત્તરે નર્મદા, પૂર્વમાં મહારાષ્ટ્ર, દક્ષિણમાં ડાંગ અને નવસારી તથા પશ્ચિમમાં સુરત ક્ષેત્રફળ-3435 ચો.કિ.મી. સાક્ષરતા- 69.23% વસ્તી- 8,06,489 વિશેષતા- તાપી જિલ્લાને “ગુજરાતનું પૂર્વ દિશાનું દ્વાર” નું બિરૂદ આપવામાં આવેલું છે. લિંગાનુપાતમાં ગુજરાતમાં ડાંગ પછી બીજા નંબરે છે. તાપી જિલ્લામાં “હરણફાળ” નામના સ્થળેથી તાપી નદી પ્રવેશ કરે છે. જોવાલાયક સ્થળો :  ઉકાઈ  : અહીં તાપી નદી પર વિશાળ ઉકાઇ બંધ અને જળવિદ્યુતમથક આવેલા છે. આ ઉપરાંત અહીં કોલસા આધારિત તાપવિદ્યુતમથક પણ આવેલું છે. કાકરાપાર  : અહીં તાપી નદી પર વીયર પ્રકારનો બંધ બાંધવામાં આવેલો છે. કાકરાપાર યોજનાની નહેરો આખા દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલી છે અને બારેમાસ પાણી પૂરું પાડે છે. તેમજ અહીં દેશનુંં એક મહત્ત્વનું અણુશક્તિ વિદ્યુત મથક પણ આવેલ છે.    ડોસવાડા  : ડોસવાડા ગામ પ