તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...
સુરત: કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી
શિક્ષકો-વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો સુરત સ્થિત કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ વૃક્ષોના મહત્વ પર કવિતાઓ અને સ્કીટ્સ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ ફળો, ફૂલો, પ્રાણીઓ અને પક્ષીઓના માસ્ક પહેરી વૃક્ષમહિમા રજૂ કર્યો હતો. ફૂલો અને પાંદડાથી સુંદર તોરણ તૈયાર કર્યા હતા. શિક્ષકો-વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન શ્રીમતી તનુજા બલોદીએ વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું કે આપણે જેમ માતા-પિતા, પરિવારજનોની કાળજી રાખીએ છીએ, તેમ વૃક્ષોને સ્વજન-પરિવારજન ગણી તેની માવજત કરવી જોઈએ. સ્વાગત પ્રવચનમાં પ્રાચાર્ય રાજેશ કુમારે વૃક્ષની વાર્તા સંભળાવી જણાવ્યું કે, વૃક્ષો માનવજાતિ માટે ઉપકારક છે. પ્રકૃતિને બચાવવા વૃક્ષો વાવી ઉછેર કરવો આવશ્યક છે. કાર્યક્રમના સંયોજક શ્રીમતી દક્ષા ગુપ્તા, સૌથી વરિષ્ઠ પ્રાથમિક શિક્ષિકા અને કાર્યક્રમના સ્ટેજ ડાયરેક્ટર દ્વારા મંચ સંચાલન કર્યું હતુ.કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી --------- શિક્ષકો-વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં...
Posted by Information Surat GoG on Monday, July 8, 2024
Comments
Post a Comment