Skip to main content

Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

  Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 27938 લાભાર્થીઓને રૂ.748.21 કરોડની સહાયનું વિતરણ ------------------ આવા કલ્યાણકારી મેળાઓ યોજી આર્થિક અસમાનતાને દૂર કરવાની સરકારની નેમ છે: રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા   ------------------ ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ૧૪મો જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો  આજરોજ  વ્યારા  ખાતે શુભારંભ કરવામાં આવ્યો.  તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ 27938  લાભાર્થીઓને 20 જેટલી યોજનાઓ દ્વારા કુલ રૂ.748.21 કરોડની માતબર રકમના ચેક તેમજ સાધન સહાય અર્પણ કરી આ મેળાનો પ્રારંભ થયો. મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી રાજ્યસરકારની વિવિધ લોકકલ્યાણ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.  આ ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલા મંત્રીશ્રી પ્રફુલભ

સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની બારડોલીની ઇસરોલી આર. એન. જી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે દબ દબાભેર ઉજવણી

  ૭૮માં સ્વાતંત્ર પર્વની ઉજવણી 

------- 
 સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની બારડોલીની ઇસરોલી આર. એન. જી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે દબ દબાભેર ઉજવણી
} દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના નિર્માણના સંકલ્પ સાથે આગળ વધીએ } આઝાદી કા અમૃત મહોત્સવ, મેરી મિટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા જેવા અભિયાનોથી નેશન ફર્સ્ટની ભાવના જન જનમાં પ્રબળ બની છે } ગુજરાત આજે ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર સેમી કંડકટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ તરીકે સ્થાપિત થયું છે :- મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ----------- ૭૮માં સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગષ્ટની સુરત જિલ્લાકક્ષાની ઉજવણી બારડોલી તાલુકા મથકે નાણા અને ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કરતા જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલ સંવિધાન અને ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચારધારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે. આપણે સૌ દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના નિર્માણના સંકલ્પ સાથે આગળ વધીએ એમ રાજ્યના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. બારડોલી તાલુકાના આર. એન. જી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, ઇસરોલી ખાતે જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન પ્રજાજોગ સંબોધન કરતા મંત્રીએ આઝાદીની ચળવળમાં પોતાના પ્રાણોની આહુતિ આપી દેનારા શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરી વિદેશમાં રહી રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કરી સૌપ્રથમ તિરંગો ફરકાવનાર મેડમ કામાનું સ્મરણ કરી શ્રધ્ધાંજલિ અર્પી હતી.દેશમાં થઇ રહેલા વિકાસની ઝાંખી કરાવતા જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર ગરીબ, વંચિત અને શોષિતોના પડખે ઊભી છે એમ કહી તેમણે આવાસવિહોણા જરૂરિયાતમંદ ત્રણ કરોડ લોકોને પાકા મકાનો આપવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું ઉમેરી તેમણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની અર્થવ્યવસ્થા પાચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યસ્થા બની છે જે નજીકના ભવિષ્યમાં ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે એમ કહી તેમણે છેલ્લા દસ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે એમ કહ્યું હતું. દેશના નાગરિકોમાં દેશભક્તિની ભાવના બળવત્તર બને એ માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉપાડેલા આઝાદી કા અમૃત મહોત્સવ, મેરી મિટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા જેવા અભિયાન થકી દેશના જન જનમાં નેશન ફર્સ્ટની ભાવના પ્રબળ બની છે એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા તમામ સમાજના સર્વાંગી વિકાસ માટે લેવામાં આવી રહેલા પગલાઓ અંગે વિગતે છણાવટ કરી મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે જે અંતર્ગત ગરીબ, વંચિત અને શોશિતોની આર્થીક અને સામાજીક સ્થિતિ મજબૂત બને એ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે એમ કહી તેમણે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રૂ. એક લાખ કરોડની આદિવાસી કલ્યાણ યોજના અમલમાં મુકવામાં આવી છે એમ ઉમેર્યું હતું. તેમણે યુવા વિકાસ અંગે વાત કરતા યુવા કૌશલ વિકાસ યોજના અને સ્ટાર્ટ અપ યોજના અંગે વાત કરી આજે દેશના યુવાનો રોજગાર આજે નોકરીદાતા બન્યા છે એમ કહી તેમણે મહિલા સશક્તિકરણ માટે સરકાર હરહંમેશ ચિંતા કરી રહી છે એમ કહી મિશન મંગલમ યોજનાથી બહેનો આજે આર્થિક રીતે પગભર બની છે એમ કહ્યું હતું. તેમણે નારી વંદન અધિનિયમ થકી રાજયની વિધાનસભા એન્ડ દેશની સંસદમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે એમ કહ્યું હતું. ગુજરાતની ઔધોગિક વિકાસ માટેની ઇકો સિસ્ટમ સુદ્રઢ બનતા રાજ્ય વિકાસની હરણફાળ ભરી રહ્યું છે એમ કહી તેમણે ગુજરાત આજે ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર સેમી કંડકટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેકચરિંગ સ્થાપિત થયું છે એમ કહી ગુજરાતમાં આ ક્ષેત્રમાં રૂ. એક લાખ કરોડથી વધુનું રોકાણ થયું છે એમ જણાવ્યું હતું.

૭૮માં સ્વાતંત્ર પર્વની ઉજવણી ------- સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની બારડોલીની ઇસરોલી આર. એન. જી ઇન્સ્ટિટ્યૂટ ઓફ...

Posted by Information Surat GoG on Thursday, August 15, 2024

Comments

Popular posts from this blog

Surat(Kamarej) : સુરત જિલ્લાના કઠોરર્માપરંપરાગત હોર્સ રેસિંગ સ્પર્ધા યોજવામા આવી.

  Surat(Kamarej) : સુરત જિલ્લાના કઠોરર્માપરંપરાગત હોર્સ રેસિંગ સ્પર્ધા યોજવામા આવી

Tapi (vyara) : તાપી જિલ્લા કલેકટરશ્રી ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ વ્યારા તાલુકાના વિવિધ મનોરંજન સ્થળોએ જાત નિરીક્ષણ કરાયું.

 Tapi (vyara) : તાપી જિલ્લા કલેકટરશ્રી ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ  વ્યારા તાલુકાના વિવિધ મનોરંજન સ્થળોએ જાત નિરીક્ષણ કરાયું. તાપી જિલ્લા કક્લેક્ટર ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વ્યારા નગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફિસરની ટીમે વ્યારા તાલુકામાં આવેલી IRIS પ્લાઝા અને રાધે સિનેપ્લેક્સ સિનેમામાં ફાયર સેફ્ટી સુવિધાઓની જાત નિરીક્ષણ કરીને ખાતરી કરી હતી. સુરક્ષા વ્યવસ્થા તેમજ ફાયર સેફટી અંગેની સુવિધાઓ તથા એક્ઝિટ માટેના દરવાજાઓ હંમેશા ખુલ્લા રાખવા અને ફાયર સેફટી માટે તકેદારી રાખવા જરૂરી સૂચનો આપવામાં આવી છે. વધુમાં વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ટિચકપુરા ગામે આવેલી ગેમ ઝોન હાલ સંપુર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે.

તાપી જિલ્લાનો ઇતિહાસ|History of Tapi District

 તાપી જિલ્લાનો ઇતિહાસ|History of Tapi District ઇ.સ.૨૦૦૭ દરમ્યાન સુરત જિલ્લાના અમૂક તાલુકા છુટા પાડી તાપી જિલ્લાની રચના થઇ છે. તાપી જિલ્લાનું મુખ્યમથક વ્યારા છે. તાપી જિલ્લામાં  વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ,ડોલવણ,કુકરમુંડા, તેમજ નિઝર  તાલુકા આવેલ છે. જિલ્લા મુખ્ય મથક- વ્યારા સરહદ- ઉત્તરે નર્મદા, પૂર્વમાં મહારાષ્ટ્ર, દક્ષિણમાં ડાંગ અને નવસારી તથા પશ્ચિમમાં સુરત ક્ષેત્રફળ-3435 ચો.કિ.મી. સાક્ષરતા- 69.23% વસ્તી- 8,06,489 વિશેષતા- તાપી જિલ્લાને “ગુજરાતનું પૂર્વ દિશાનું દ્વાર” નું બિરૂદ આપવામાં આવેલું છે. લિંગાનુપાતમાં ગુજરાતમાં ડાંગ પછી બીજા નંબરે છે. તાપી જિલ્લામાં “હરણફાળ” નામના સ્થળેથી તાપી નદી પ્રવેશ કરે છે. જોવાલાયક સ્થળો :  ઉકાઈ  : અહીં તાપી નદી પર વિશાળ ઉકાઇ બંધ અને જળવિદ્યુતમથક આવેલા છે. આ ઉપરાંત અહીં કોલસા આધારિત તાપવિદ્યુતમથક પણ આવેલું છે. કાકરાપાર  : અહીં તાપી નદી પર વીયર પ્રકારનો બંધ બાંધવામાં આવેલો છે. કાકરાપાર યોજનાની નહેરો આખા દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલી છે અને બારેમાસ પાણી પૂરું પાડે છે. તેમજ અહીં દેશનુંં એક મહત્ત્વનું અણુશક્તિ વિદ્યુત મથક પણ આવેલ છે.    ડોસવાડા  : ડોસવાડા ગામ પ