Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 27938 લાભાર્થીઓને રૂ.748.21 કરોડની સહાયનું વિતરણ ------------------ આવા કલ્યાણકારી મેળાઓ યોજી આર્થિક અસમાનતાને દૂર કરવાની સરકારની નેમ છે: રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા ------------------ ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ૧૪મો જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો આજરોજ વ્યારા ખાતે શુભારંભ કરવામાં આવ્યો. તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ 27938 લાભાર્થીઓને 20 જેટલી યોજનાઓ દ્વારા કુલ રૂ.748.21 કરોડની માતબર રકમના ચેક તેમજ સાધન સહાય અર્પણ કરી આ મેળાનો પ્રારંભ થયો. મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી રાજ્યસરકારની વિવિધ લોકકલ્યાણ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું. આ ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલા મંત્રીશ્રી પ્રફુલભ
તાપી જિલ્લાના માનનીય નિવાસી અધિક કલેકટર શ્રી આર. આર. બોરડ સાહેબ
- તાપી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે ઉદભવનારી ભાવિ પરિસ્થિતિને ધ્યાને લઈને ટીમ તાપી તૈયાર
- જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર
ન છોડવા તાકીદ
- પોલીસ વિભાગની ટીમ, એસ. ડી. આર. એફ. અને અંદાજિત ૨૫૦ આપદા મિત્રો ખડેપગે
- ઉકાઈ ડેમમાંથી ૧૫ દરવાજા ખોલીને ૨,૪૭, ૦૦૦ ક્યુસેક પાણી છોડાયું
- ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીથી કોઈ નુકસાન નથી થયું
- જરૂર જણાય તો સ્થળાંતર કરવા અધિકારીઓને સૂચના અપાઈ
Posted by Info Tapi GoG on Monday, August 26, 2024
Comments
Post a Comment